Pradhanmantri Suryodaya Yojana: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રામ મંદિરના અભિષેક પ્રસંગે “પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના”ની જાહેરાત કરી હતી, જે અંતર્ગત 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર લગાવવામાં આવશે. પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું, “દુનિયાના તમામ ભક્તોને સૂર્યવંશી ભગવાન શ્રી રામના પ્રકાશથી હંમેશા ઊર્જા મળે છે. આજે, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર, મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે કે ભારતીયોની છત પર તેમની પોતાની સોલર રૂફ ટોપ સિસ્ટમ હોવી જોઈએ."

