Temple Mosque conflicts: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવતા મહિને ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. યુપીના મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કોર્ટમાં છે. વારાણસીના કાશી-જ્ઞાનવાપી કેસમાં પણ કોર્ટની અંદર સુનાવણી ચાલી રહી છે. એટલું જ નહીં મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળાનો મુદ્દો પણ કોર્ટમાં છે. દરમિયાન, હિંદુ સંગઠનો હવે આવા 40 કેસને કોર્ટમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા છે.

