કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક આર્ટીકલ લખ્યો. તેમણે કલમ 370ને કાશ્મીરની પ્રગતિ પરનો ધબ્બો ગણાવ્યો છે. પીએમ મોદીએ પોતાના મંતવ્યો આપતાં લખ્યું છે કે, જમ્મુ-કાશ્મીરની કલમો 370 અને 35A પ્રગતિના માર્ગમાં અવરોધો હતા, જેને અમે દૂર કર્યા છે. PM મોદી હંમેશા જમ્મુ-કાશ્મીરના લોકોની તકલીફ ઘટાડવા માટે કામ કરવા માંગતા હતા. આ સાથે તેમણે એમ પણ લખ્યું કે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં 11 ડિસેમ્બરે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને મજબૂત કરી છે.

