Budget 2023: કેન્દ્રીય બજેટ 2023-24માં સરકાર આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે, જે હાલમાં 2.5 લાખ રૂપિયા છે. IANS એ સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા છે. જો આમ થશે તો કરદાતાઓ એટલે કે કસ્ટમર્સના હાથમાં ખર્ચ માટે વધુ પૈસા બચશે. સૂત્રોએ જણાવ્યું કે જ્યાં વપરાશ વધશે ત્યાં આર્થિક વિકાસને પણ વેગ મળશે. અત્યારે 2.5 લાખ રૂપિયાની આવક પર કોઈ આવકવેરો લાગતો નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.