Accenture Layoff : મંદીની આશંકા વચ્ચે વિશ્વભરની કંપનીઓમાં છટણીની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. હવે આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની એક્સેન્ચર પણ તેના કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપનીએ આજે 23 માર્ચે કહ્યું હતું કે તે તેના 19,000 કર્મચારીઓની છટણી કરશે. આ કંપનીના કર્મચારીઓના લગભગ 2.5 ટકા જેટલું છે. એક્સેન્ચરે બગડતા વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણને છટણીનું કારણ આપ્યું છે.