ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રા કેશ ફોર ક્વેરી વિવાદમાં ઘેરાયેલા છે. તેમના પર આરોપ છે કે સંસદમાં તેમણે પૈસા લઈને અદાણી ગ્રુપ અંગે સવાલ પૂછ્યા છે. આ મામલે રાજકારણ ખુબ ગરમાઈ રહ્યું છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને અદાણી ગ્રુપથી અંતર બનાવ્યું છે. રાજ્ય સરકારે અદાણી ગ્રુપ પાસેથી 25 હજાર કરોડનો તાજપુર પોર્ટ ડેવલપ કરવાનો પ્રોજેક્ટ છીનવી લીધો છે. મંગળવારે સીએમ મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે તાજપુર સમુદ્રી પોર્ટ પ્રોજેક્ટને વિકાસ કરવા માટે જલદી એક ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ અગાઉ આ પ્રોજેક્ટનું કામ અદાણી ગ્રુપને આપવામાં આવ્યું હતું.