Get App

ભારતીયો પરત લાવી રહ્યા છે વિદેશી ખાતામાં જમા થયેલા પૈસા, જાણો શું છે કારણ

ભારતના ઘણા અમીર લોકો હવે વિદેશી ખાતામાં જમા થયેલા તેમના પૈસા પરત ભારત લાવી રહ્યા છે. શું છે આનું કારણ? આવો જણીએ

MoneyControl Newsઅપડેટેડ Dec 30, 2023 પર 2:14 PM
ભારતીયો પરત લાવી રહ્યા છે વિદેશી ખાતામાં જમા થયેલા પૈસા, જાણો શું છે કારણભારતીયો પરત લાવી રહ્યા છે વિદેશી ખાતામાં જમા થયેલા પૈસા, જાણો શું છે કારણ

ઘણા વર્ષોથી ભારતના ઘણા અમીર લોકોએ ટેક્સથી બચવા માટે તેમના પૈસા છુપાવવા અને બીજા અન્ય કારણોસર તેમના ઘણા પૈસા વિદેશી ખાતામાં જમા કરાવ્યા છે. ઘણીવાર આ અંગે ચર્ચા થાય છે, પરંતુ તે ચર્ચાનું કોઈ પરિણામ નથી મળતું. પરંતુ હવે આ બદલાઈ રહ્યું છે. હવે દેશના ઘણા અમીર લોકોએ વિદેશી ખાતામાં જમા કરેલા પૈસા ભારતમાં પાછા લાવવાનું શરૂ કરી દીધું છે.

શું છે કારણ?

મનમાં સવાલ આવવો સ્વાભાવિક છે કે ઘણા ભારતીયો વિદેશના ખાતામાં જમા કરાયેલા તેમના નાણાં પરત દેશ લાવી રહી રહ્યા છે? આનું કારણ એ છે કે ઘણી વિદેશી બેન્કો હવે ભારતીય ગ્રાહકોને તેમના બેન્ક ખાતા બંધ કરવા વિનંતી કરી રહી છે. તેનું કારણ એ છે કે ઘણી બેન્કોએ વિદેશી ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સની રકમ વધારી દીધી છે. સાથે જ આરબીઆઈએ પણ વિદેશમાં ઈનએક્ટિવ ફંડ રાખવા પર કડક કાર્યવાહી કરી છે. આ કારણોસર ઈન્ટરનેશનલ બેન્ક ભારતીયોના બેન્ક અકાઉન્ટ બંધ કરી રહી છે.

180 દિવસમાં રોકાણ કરવું અથવા પરત લાવું જરૂરી

બધા સમાચાર

+ વધુુ વાંચો