ઘણા વર્ષોથી ભારતના ઘણા અમીર લોકોએ ટેક્સથી બચવા માટે તેમના પૈસા છુપાવવા અને બીજા અન્ય કારણોસર તેમના ઘણા પૈસા વિદેશી ખાતામાં જમા કરાવ્યા છે. ઘણીવાર આ અંગે ચર્ચા થાય છે, પરંતુ તે ચર્ચાનું કોઈ પરિણામ નથી મળતું. પરંતુ હવે આ બદલાઈ રહ્યું છે. હવે દેશના ઘણા અમીર લોકોએ વિદેશી ખાતામાં જમા કરેલા પૈસા ભારતમાં પાછા લાવવાનું શરૂ કરી દીધું છે.