સરકારનો સોલર ફોટોવોલ્ટેઇક (PV) મોડ્યુલ પરની આયાત ડ્યૂટીને ટૂંક સમયમાં ઘટાડવાનો કોઇ ઇરાદો નથી. નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવ ભૂપિન્દર સિંહ ભલ્લાએ આ માહિતી આપી હતી. અમારી સહયોગી ન્યૂઝ ચેનલ, CNBC TV18 સાથે વાત કરતાં, તેમણે કહ્યું કે જ્યાં સુધી પૂરતી લોકલ કેપેસિટી ન બને ત્યાં સુધી સોલાર ફોટોવોલ્ટેઇક (PV) મોડ્યુલ્સ પરની આયાત ડ્યૂટી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. સમજો કે સૌર ફોટોવોલ્ટેઇકને સામાન્ય રીતે સોલર સેલ પણ કહેવામાં આવે છે. આ એક એવું ડિવાઇસ છે જે સૂર્યપ્રકાશને સીધા વીજળીમાં રૂપાંતરિત કરે છે.

