ટાટા ગ્રૂપની માલિકીની Air Indiaએ તેના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે, 2023 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા 30 એપ્રિલ હતી. નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે VRS એપ્લિકેશનની મંજૂરી અને કર્મચારીઓને છૂટા કરવાની તારીખ અંગેનો અંતિમ નિર્ણય મેનેજમેન્ટ પાસે રહેશે. Air Indiaએ કહ્યું કે કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ સંબંધિત તમામ પ્રશ્નો અને ચિંતાઓને દૂર કરવા માટે કંપનીના એચઆર પ્રતિનિધિઓનો સંપર્ક કરી શકે છે.

