Budget 2023: સરકાર દર વર્ષે બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ કરે છે. આ સર્વે 31 જાન્યુઆરી (મંગળવાર)ના રોજ રજૂ કરવામાં આવશે. તેમાં આ નાણાકીય વર્ષ (2022-23)માં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. આર્થિક સર્વે સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA)ની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે. હાલમાં વી અનંત નાગેશ્વરન સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે. આ પછી એક પ્રેસ કોન્ફરન્સ થશે, જેમાં વી અનંત નાગેશ્વરન મીડિયાના પ્રશ્નોના જવાબ આપશે. આ પ્રેસ કોન્ફરન્સમાં નાણા મંત્રાલયના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. પ્રેસ કોન્ફરન્સનું લાઈવ સ્ટ્રીમિંગ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર થશે. તમે તેને પીઆઈબી ઈન્ડિયાની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો.