Get App

BPCL માટે EOI જાહેર

BPCLમાં રોકાણ કરવા માટે સરકારે કંપનીઓને પોતાનો રસ બતાવવા માટે કહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 09, 2020 પર 11:25 AM
BPCL માટે EOI જાહેરBPCL માટે EOI જાહેર

સરકારે BPCLના વિનિવેશ માટે EOI જાહેર કરી દીધું છે. BPCLમાં રોકાણ કરવા માટે સરકારે કંપનીઓને પોતાનો રસ બતાવવા માટે કહ્યું છે. સરકારની શરતો મુજબ બીડ કરનારી કંપની પાસે ઓછામાં ઓછી 10 અબજ ડોલરની નેટવર્થ હોવી જોઈએ.

આ સાથે જ સરકારે કંસોર્સિયમ દ્વારા પણ બીડ કરવાનો રસ્તો ખુલ્લો મૂક્યો છે. સરકારની શરતો છે કે એક કંસોર્સિયમના સભ્યો પાસે ઓછામાં ઓછી 1 બિલિયનનું નેટવર્થ હોવું જોઈએ. કંસોર્સિયમમાં 4 સભ્યો જ હોઈ શકે છે. કંસોર્સિયમમાં લીડ મેમ્બરનો હિસ્સો 40થી ઓછો ન હોવો જોઈએ.

સાથે જ કંસોર્સિયમમાં એકથી વધુ લીડ મેમ્બર ન હોઈ શકે અને તેમાં પરિવર્તન કરી શકાશે નહી. કંસોર્સિયમના સભ્યો અન્ય કોઈ કંસોર્સિયમનો ભાગ ન હોવા જોઈએ. માત્ર BPCLની નુમાલીગઢની રિફાઈનરીમાં વિનિવેશ થઈ નહીં.

બધા સમાચાર

+ વધુુ વાંચો