યસ બેન્ક પર સરકારે મોરેટોરિયમ પીરિયડ લગાવી દીધો છે એટલે કે યસ બેન્ક પર અણૂક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. ગઇકાલે સાંજે 6 વાગ્યાથી બેન્કના કોઇ પણ ખાતાધારક તેના ખાતા માંથી રૂપિયા 50 હજારથી વધુનો ઉપાડ નહીં કરી શકે. આ રોક 3 એપ્રિલ સુધી લાગૂ કરવામાં આવી છે. જોકે સરકારે અમૂક છૂટ પણ આપી છે. જો કોઇ ખાતાધારકને મેડિકલ ઇમરજન્સી, ઉચ્ચ શિક્ષણ માટે રકમ અથવા તો લગ્ન કે પછી કોઇ અન્ય ઇમરજન્સી માટે પૈસાની જરૂરત પડે છે તો તેમને 50 હજારથી વધુની રકમ ઉપાડવાની મંજૂરી મળશે.