આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 2.5 ટકા નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 9000 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 30579.09 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 810 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 230 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.38 ટકા સુધી વધીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 2.54 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.63 ટકાની મજબૂતીની સાથે બંધ થયા છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 810.98 અંક એટલે કે 2.58 ટકાના ઘટાડાની સાથે 30579.09 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 230.35 અંક એટલે કે 2.50 ટકા ઘટીને 8967.05 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, આઈટી અને મેટલ શેરોમાં 4.66-0.71 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 4.27 ટકાના ઘટાડાની સાથે 22114.05 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી અને ફાર્મા પર વધારો જોવામાં આવ્યો છે.
દિગ્ગજ શેરોમાં ઝિએન્ટરટેનમેન્ટ, ઈન્ડુસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતી ઈન્ફ્રાટેલ, યુપીએલ અને ટાટા મોટર્સ 6.57-20.05 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, એચયુએલ, આઈશર મોટર્સ, હિરો મોટોકૉર્પ, કોલ ઈન્ડિયા અને મારૂતિ સુઝુકી 2.19-59.30 ટકા વધ્યો છે.
મિડકેપ શેરોમાં મન્નાપુરમ ફાઈનાન્સ, જેએમ ફાઈનાન્શિયલ, મહિન્દ્રા સીઆઈઈ, ઈઆઈએચ અને ટીટીકે પ્રેસ્ટીજ 15.65-10.01 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં અદાણી ટ્રાન્સફર, એજીએલ, એસઆરએફ, ગ્રેફાઈટ ઈન્ડિયા અને ગ્લેક્સોસ્મિથ કંઝ્યુમર 4.86-3.50 ટકા સુધી ઉછળો છે.
સ્મૉલોકપ શેરોમાં કેડીડીએલ, બીએફ ઈન્વેસ્ટમેન્ટ, મન્નાપુરમ ફાઈનાન્સ, સાટિન ક્રેડિટ અને ઝુઆરી એગ્રો કેમિકલ્સ 18.23-14.25 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ગુજરાત અપોલો, ગોક્ળદાસ એક્સપોર્ટ, સ્નોમેન લોજીસ્ટિક્સ, બાલાજી ટેલિફિલમ્સ અને સલાસર ટેક્નોલૉજી 20-13.65 ટકા સુધી ઉછળા છે.