RBI Credit Policy: 8 ડિસેમ્બરના સતત પાંચમી વાર કેંદ્રીય બેંક RBI એ વ્યાજ દર કોઈ બદલાવ નથી કર્યો. ડિસેમ્બરની મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટ 6.50% પર યથાવત રાખ્યો છે. છેલ્લીવાર રેપો રેટને ફેબ્રુઆરી 2023 માં વધારીને 6.50 ટકા કર્યો હતો. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das) ના આ નિર્ણયથી હોમ લોનની ઈએમઆઈ પર કોઈ અસર પડવાની નથી. માર્કેટને પણ એવુ જ અનુમાન હતુ કે આરબીઆઈ આ વખત પણ દરોને યથાવત જ રાખશે.

