આઝાદ એન્જીનીયરીંગની જેરદાર લિસ્ટિંગથી ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે પણ જોરદાર નફો કર્યો છે. માસ્ટર બ્લાસ્ટરને તેના રોકાણ પર લગભગ 6 ગણું રિટર્ન મળ્યું છે. સચિને માર્ચ 2023માં 114.10 રૂપિયાના સરેરાસ ભાવ પર આઝાદ એન્જિનિયરિંગના 4.3 લાખ શેર ખરીદ્યા હતા. કંપનીના શેર આજે 28 ડિસેમ્બરે શેર બજારમાં 720 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયા હતા. સચિનના સિવાય સાઈના નેહવાલ, પીવી સિધું અને વીવીએસ લક્ષ્મણ જેવા મોટા ખિલાડીઓએ આ કંપનીમાં પૈસા લગાવ્યા છે અને તેમણે તેના રોકાણ પર લગભગ 3 ગણો નફો મળ્યો છે.

