Adani-Hindenburg Case: સુપ્રીમ કોર્ટે બુધવારે 3 જાન્યુઆરીએ અદાણી-હિંડનબર્ગ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે અદાણી ગ્રુપને રાહત આપતા આ મામલે સેબીની તપાસને યોગ્ય સાબિત કરી છે. સાથે જે કોર્ટે સેબીની તપાસમાં દખલ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાની માંગને પણ ફગાવી દીધી છે. કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું છે કે કેસને સેબી થી સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો કોઈ કેસ નથી બનતો. ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જેબી પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાના ત્રણ સભ્યો બેન્ચ તેના પહેલા 24 નવેમ્બરના તેના કેસમાં નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

