Asaduddin Owaisi: ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં ભાવનાત્મક ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના સ્થળે બાબરી મસ્જિદ હંમેશા હાજર રહેશે. ઓવૈસીએ 'બાબરી મસ્જિદ ઝિંદાબાદ' ના નારા સાથે પોતાનું સંબોધન પૂર્ણ કર્યું. વાસ્તવમાં આજે સંસદમાં બજેટ સત્રનો છેલ્લો દિવસ હતો. શનિવારે ગૃહમાં રામ મંદિર નિર્માણ માટે આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. આ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા ઓવૈસીએ લોકસભામાં બે વખત બાબરી મસ્જિદ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. તેમણે સવાલ પૂછ્યો કે શું મોદી સરકાર માત્ર એક જ ધર્મની સરકાર છે? કે પછી આખા દેશના ધર્મોમાં માનનારી સરકાર છે?