Tejashwi Yadav Supreme Court: અપરાધિક માનહાનિના કેસમાં ફસાયેલા બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને મોટી રાહત મળી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે આ કેસને ફગાવી દીધો હતો. વાસ્તવમાં યાદવે ગુજરાતીઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જોકે, તેણે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને નિવેદન પાછું ખેંચ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે.'