Get App

પ્રોપર્ટી ગુરૂ: રિડેવલપમેન્ટને લગતી સમસ્યા

રિડેવપમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ ટ્રાન્ઝેક્શન છે તે મુજબ જીએસટી ન લાગવો જોઇએ.

MoneyControl Newsઅપડેટેડ Mar 16, 2019 પર 3:54 PM
પ્રોપર્ટી ગુરૂ: રિડેવલપમેન્ટને લગતી સમસ્યાપ્રોપર્ટી ગુરૂ: રિડેવલપમેન્ટને લગતી સમસ્યા

રિડેવલપમેન્ટ માટે ક્લીયર ગાઇડલાઇન નથી. રિડેવપમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ ટ્રાન્ઝેક્શન છે તે મુજબ જીએસટી ન લાગવો જોઇએ. અમુક ઓફીસરની માંગ છે નવા ફ્લેટ પર જીએસટી હોવો જોઇએ. જાન્યુઆરી 2018નાં નોટીફિકેશન આવ્યુ હતુ. રિડેવલપમેન્ટ પર જીએસટીને લઇ ઘણી સમસ્યા છે. ટેક્સને ભરવાને લઇ ઘણા ડિસ્પ્યુટ થતા હોય છે. રિડેવલપમેન્ટને એક્સપશન આપી દેવું જોઇએ.

કંડીશનલ એક્સપશન ને બદલે ક્લીયર એક્સપશન આપી દેવુ જોઇએ. રિડેવલમેન્ટ પ્રોપર્ટીમાં જીએસટીને લઇ ઘણી સમસ્યા છે. ટીડીઆર માટે પણ જીએસટીને લઇ મુંઝવણ છે. એન્ટી પ્રોફીટરીંગ સરકારનું સારૂ પગલું જે રાષ્ટ્રમાં જીએસટી આવ્યુ છે ત્યા ઇન્ફલેશન વધ્યું છે. ભારત ઇન્ફ્લેશન મેનેજ કરવામાં સફળ રહ્યાં છે. એન્ટી પ્રોફીટરીંગનો ઇન્ફ્લેશનનો ઘણો લાભ મળ્યો છે. એન્ટી પ્રોફીટરીંગનાં કાયદા કડક છે.

કમર્શિયલ પ્રોપર્ટીમાં જીએસટીમાં બદલાવ નથી. જીએસટીનો બદલાવ માત્ર રેસિડન્શિયલ માટે કરાયો છે. નાના કમર્શિયલ પ્રોજેક્ટને જીએસટીમાં રાહત અપાવી જોઇતી હતી. કમર્શિયલ પ્રોપર્ટી પર 12% જીએસટી યથાવત છે. બજેટમાં રિયલ એસ્ટેટને લાભ અપાયા છે. હવે એક ઘર વેચી બે ઘર લેવા પર કેપિટલ ગેઇન નહી લાગે. પહેલા એક ઘર વેચી એક ઘર પર જ કેપિટલ ગેઇનમાં રાહત હતી. મુંબઇ જેવા શહેરોમાં આ રાહત ખૂબ જ ઉપયોગી છે.

રૂપિયા 5 લાખની આવક પર ટેક્સ રીબેટ મળશે. ટેક્સનાં સ્લેબ બદલાયા નથી. વિવિધ રોકાણ સાથે લગભગ ₹9 લાખ સુધી ટેક્સ બચાવી શકો. રૂપિયા 9 લાખથી વધુ આવકવાળાને રાહત નથી. સરકારે ખૂબ વિચારીને સારૂ પગલુ ભર્યું છે. પોલિસીનાં પેરામીટર ખૂબ જ જલ્દી થઇ રહ્યાં છે. બદલાવને પહેલા ઇમ્પ્લીમેન્ટ કરવા જરૂરી છે. ડેવલપરને 2 વર્ષ સુધીની ઇનવેન્ટરી પર ટેક્સ નહી. નોશનલ રેન્ટ પર ડેવલપરને રાહત છે. બે ઘર ધરાવતા ઘરો પર નોશનલ રેન્ટ હતો. હવે બીજા ઘર પર નોશનલ રેન્ટ નથી. જીએસટી પર રાહત શરતોને આધીન ન હોવી જોઇએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો