Get App

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

આ ભરવાપાત્ર રકમ માંથી TDS કર્યા બાદ વધારાની રકમ ઉપર એડવાન્સ ટેક્સ ભરવાનો રહે છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 12, 2020 પર 4:00 PM
ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજનટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

એડવાન્સ ટેક્સ કોણે અને ક્યારે ભરવાનો થાય?

નાણાંકીય વર્ષની કુલ અંદાજિત આવક ઉપર રૂપિયા 10,000થી વધારે ટેક્સ ભરવાનો હોય તેમણે એડવાન્સ ટેક્સ ભરવાનો રહે છે. આ ભરવાપાત્ર રકમ માંથી TDS કર્યા બાદ વધારાની રકમ ઉપર એડવાન્સ ટેક્સ ભરવાનો રહે છે. સિનિયર સિટીઝનને ધંધાકીય આવક ન હોય તો તેમને એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ છે. એડવાન્સ ટેક્સ 4 હપ્તામાં ભરવાનો રહે છે.

15 જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15 માર્ચે ભરવાનો રહે છે. પ્રથમમાં 15% અને બીજા તેમજ ત્રીજા હપ્તામાં 30% અને માર્ચમાં છેલ્લો હપ્તો 25% ભરવાનો રહે છે. અગાઉના હપ્તામાં શોર્ટ ફોલ હોય તો એ પછીના હપ્તામાં તેની ચૂકવણી કરો તે સલાહભર્યુ છે. એડવાન્સ ટેક્સની જવાબદારી નિભાવવી જરૂરી છે. એડવાન્સ ટેક્સ ન ભરવા કે ઓછો ભરવા બદલ 2 પ્રકારના દંડનીય વ્યાજ લાગુ પડી શકે છે.

બિલકુલ એડવાન્સ ટેક્સ ન ભર્યો અને ઓછો ભર્યો હોય તો 1 એપ્રિલ બાદ દર મહિને 1 ટકાના દરે દંડનીય વ્યાજ ભરવાનું રહે છે. નાણાંકીય વર્ષ દરમિયાન ભરવાપાત્ર ટેક્સ નિયત હપ્તામાં ન ભર્યો હોય તો 234C હેઠળ 1%ના દરે દંડનીય વ્યાજ ભરવાનું રહેશે. એડવાન્સ ટેક્સ અંદાજિત આવકના હેઠળ એક જ હપ્તામાં 15મી માર્ચ સુધીમાં ભરવાનો રહે છે.

સવાલ-

હું મારા શેર્સ હું એચયુએફને ગિફ્ટ આપું અને શેર્સ ઉપર ડિવિડન્ડની આવક એચયુએફની ગણાય કે મારી ગણાશે?

જવાબ-

બધા સમાચાર

+ વધુુ વાંચો