Get App

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ચાલુ આકારણી વર્ષ 2019-20 માટેનું આવકવેરા રિટર્ન ભરવાનું ચૂકી ગયા હોય તો તેના માટે આ ફાઇનલ ડેડલાઇન છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 14, 2020 પર 4:49 PM
ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજનટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

આવકવેરા રિટર્ન ભરવાનું રહી ગયુ છે એ કિસ્સામાં હજુ કેટલો સમય છે?

ચાલુ આકારણી વર્ષ 2019-20 માટેનું આવકવેરા રિટર્ન ભરવાનું ચૂકી ગયા હોય તો તેના માટે આ ફાઇનલ ડેડલાઇન છે. જો કે આ રિટર્નની સાથે લેટ ફાઇલિંગ તો ભરવાની જ રહેશે. જો આ 31મી માર્ચ ચૂકી ગયા તો આવકવેરા રિફંડ લેવાનું હશે તો તે પણ નહીં મળે. આવકવેરા રિટર્ન 1 એપ્રિલ બાદ તો ઓનલાઇન રિટર્ન ફાઇલ પણ નહીં થશે. આવકવેરા રિટર્ન ભરવાનું ટાળ્યુ છે તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી પણ થઇ શકે છે.

સવાલ-

વધારાના ઘસારાનો લાભ લેવા માટેના નાણામંત્રીના નિવેદનમાં ઓટો સેક્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેના અંગેની સમજ આપશો?

જવાબ-

વધારાના ઘસારાનો લાભ ઓટો સેક્ટરના વિકાસ માટે આપવામાં આવ્યો હતો. 23 ઓગષ્ટ 2019થી 31 માર્ચ 2020 સુધીમાં જો કોઇ મોટરકારની ખરીદી કરવામાં આવે છે. તો તેવા વાહનો માટેનો 15 ટકાના બદલે 30 ટકાના દરે ઘસારાનો લાભ મળશે. જો ભાડાના વાહન તરીકે ચલાવવાના હોય તો તેમાં 45 ટકાના દરે ઘસારાનો લાભ લઇ શકાશે. 30મી સપ્ટેમ્બર પહેલાં જો ખરીદી કરી હોય તો તેમાં આખા વર્ષ માટે વધારાના ઘસારાનો લાભ મળશે. માર્ચમાં ખરીદી કરશો તો 15 ટકા કે 22.5 ટકાનાં દરે વધારાના ઘસારાનો લાભ મળશે. એક વખત તમે વધારાના ઘસારાનો લાભ લીધો તો તે આગામી વર્ષ દરમિયાન પણ મળશે.

સવાલ-

બધા સમાચાર

+ વધુુ વાંચો