Delhi Farmer Protest: ખેડૂતોની દિલ્હી કૂચને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં પંજાબના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની યોજના બે દિવસ માટે સ્થગિત કરી દીધી છે. હરિયાણાની ખનૌરી બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચેની અથડામણ બાદ તંગ વાતાવરણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.