Kisan Andolan Today: પાક માટે મિનિમમ ટેકાના ભાવ નક્કી કરવા સહિતની 12 માંગણીઓ અંગે વિરોધ કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે કોઈ સહમતિ નથી. હવે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે. પંજાબના ફતેહગઢ સાહિબથી ખેડૂતોના ગ્રુપ દિલ્હી જવા રવાના થયા છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે અમારું આંદોલન શાંતિપૂર્ણ છે અને અમારા પર રસ્તા રોકવાનો આરોપ છે. તમે જુઓ છો કે સરકારે જ દીવાલો ઊભી કરીને રસ્તાઓ બંધ કરી દીધા છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે પંજાબ અને હરિયાણા ભારતના રાજ્યો નથી પરંતુ અલગ-અલગ દેશો છે.