Manipur Violence: ગુરુવારે મોડી રાત્રે મણિપુરના ચુરાચંદપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરની કચેરીઓ પર હુમલો કર્યો હતો. સુરક્ષા દળોએ ભીડને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને 42 ઘાયલ થયા. હિંસાના તાજેતરના કેસોને પગલે રાજ્ય સરકારે કુકી પ્રભાવિત ચુરાચંદપુર જિલ્લામાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ બાબતથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર, ટોળાએ મિની સચિવાલય તેમજ કલેક્ટર નિવાસ તરીકે ઓળખાતા સંકુલ પાસે પાર્ક કરાયેલા સુરક્ષા દળોના વાહનોને સળગાવી દીધા હતા.