Indian Navy: ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. જાસૂસીના આરોપમાં કતરની જેલમાં બંધ આઠ ભૂતપૂર્વ ભારતીય નૌસેનિકોને મુક્ત કરવામાં આવ્યા છે. હવે વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે અને આ પૂર્વ મરીનમાંથી સાત તેમના દેશમાં પાછા ફર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કતરથી પરત ફરી રહેલા પૂર્વ સૈનિકોએ પોતાની જમીન પર પાછા ફરતા જ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.