UAE Hindu Mandir: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે છે. તેઓ અબુધાબીમાં પહેલા હિન્દુ મંદિરને હરિભક્તોને સમર્પણ કરી રહ્યાં છે. દિલ્હીમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરનાર સંસ્થા BAPSએ તેનું નિર્માણ કર્યું છે. આ મંદિરની બંને બાજુ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું છે, જેને ભારતમાંથી મોટા પાત્રોમાં લઇ જવામાં આવ્યું છે. મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગંગાનું પાણી જ્યાં વહે છે તે બાજુએ ઘાટ આકારનું એમ્ફી થિયેટર બનાવવામાં આવ્યું છે.