Vande Bharat: છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં એક પછી એક વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે. સરકારે સંસદમાં જણાવ્યું કે વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધીને 82 થઈ ગઈ છે. સારા સમાચાર આપતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે નવી દિલ્હી-મુંબઈ અને નવી દિલ્હી-હાવડા રૂટ પર આ ટ્રેનોની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવાનું કામ ચાલી રહ્યું છે. લોકસભામાં વંદે ભારત ટ્રેનની સર્વિસ અંગે 10 સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના લેખિત જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, "31 જાન્યુઆરી, 2024 સુધીમાં, ભારતીય રેલ્વે સાથે 82 વંદે ભારત ટ્રેન સેવાઓ ચાલી રહી છે."