BUDGET 2023-24: નાણામંત્રી નિર્મલા સીતારમણના આગામી બજેટ (બજેટ 2023)માં મધ્યમ વર્ગને મોટી ભેટ મળી શકે છે. નાણામંત્રી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) નો વ્યાપ વધારવાની જાહેરાત કરી શકે છે. મધ્યમ વર્ગને પણ આ યોજના હેઠળ લાવી શકાય છે. અત્યારે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ, એક પરિવારને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયા સુધીની મફત આરોગ્ય-વીમા સુવિધા મળે છે. આ યોજના વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ગરીબ વર્ગના 4,16,00,000 લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. આમાં મધ્યમ વર્ગનો સમાવેશ કરવાથી સરકારનો ખર્ચ વધશે. તેથી નાણામંત્રીએ બજેટમાં આ માટે ફાળવણી વધારવી પડશે.

