Get App

કૉમોડિટી રિપોર્ટ: ભારત ચોખાની એન્ટ્રી, ભારત દાળ બની બ્રાન્ડ

છેલ્લા 1 વર્ષમાં ચોખાના ભાવમાં 15%નો વધારો થયો છે. ખરીફ પાક સારો હોવા છતાં ભાવમાં વધારો જોવા મળ્યો. એક્સપોર્ટ પર નિયંત્રણ બાદ કિંમતોમાં વધારો યથાવત્ રહેશે. FCI પણ OMSS દ્વારા ચોખાનું વેચાણ કરે છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 09, 2024 પર 2:32 PM
કૉમોડિટી રિપોર્ટ: ભારત ચોખાની એન્ટ્રી, ભારત દાળ બની બ્રાન્ડકૉમોડિટી રિપોર્ટ: ભારત ચોખાની એન્ટ્રી, ભારત દાળ બની બ્રાન્ડ
ભારત બ્રાન્ડ હેઠળ ચણા દાળનું વેચાણ કરશે. તુવેર અને અડદની ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી મળશે.

આજે આપણે ખાસ ફોકસ કરીશું એગ્રી કોમોડિટી પર આ સપ્તાહમાં ઘઉ,ચોખા, દાળ તમામ એસ્સનશિયલ કોમોડિટીને લઇ આપણે મહત્વના સમાચારો આવતા જોયા. ભારત ચોખા લોન્ચ, ઘઉ ઉપર સ્ટોક લિમિટ ઘટાડો, ચોખામાં સ્ટોક ડિકલેરેશન. દાળના સ્ટોકની ચિંતા અને સરકારના કિંમતોને કાબુમાં રાખવાના પ્રયાસો.

સરકારે ચોખાની વધતી મોંઘવારી પર કડકાઈ યથાવત્ રાખી છે. સરકારે ચોખાના તમામ વેપારીઓને ચોખાના સ્ટોકની માહિતી પોર્ટલ પર આપવા માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. ચોખાની જમાખોરી અટકાવવા માટે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.

ઘઉંનું વેચાણ વધ્યું

OMSS દ્વારા ઘઉંના વેચાણમાં વધારો થયો. 7 ફેબ્રુઆરીએ 4.7 લાખ ટનનું રેકોર્ડ વેચાણ. અત્યાર સુધીમાં 80 લાખ ટન ઘઉંનું વેચાણ થયું. સરકારનો 1 કરોડ ટનના વેચાણનો લક્ષ્યાંક છે. FCI જૂન 2023 થી દર અઠવાડિયે વેચાણ કરે છે. 2022-23માં 33 લાખ ટનનું વેચાણ છે. 2018-19માં 81 લાખ ટનનું વેચાણ થયું હતું. FCI સ્ટોક 2016 પછી સૌથી નીચો રહેશે. 2024-25 માર્કેટિંગ વર્ષ 1 એપ્રિલથી શરૂ થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો