મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો લાંબા ગાળાના રોકાણનાં મહત્વને સમજે છે અને ચક્રવૃદ્ધિ લાભ લઈને પોતાના પોર્ટફોલિયોને સધ્ધર બનાવે છે. પરંતુ મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો એક્ઝીટ લોડ બાબતે અધિક સજાગ હોતા નથી. પરિણામે જ્યારે રોકાણ પાછુ ખેંચવાનું હોય તે વખતે ગણતરી ખોટી પડવાની શક્યતા રહે છે. તેથી જ્યારે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ રિડીમ કરવામાં આવે ત્યારે અમૂક પાસાઓને સમજી લેવા જોઈએ.