Get App

31 ડિસેમ્બરની પછી નહીં કરી શકો UPI નો ઉપયોગ, ફસાઈ જવા કરતાં તરત કરી લો આ કામ

જો એક વર્ષથી કોઈપણ રીતનું આ આઈડીનો ઉપયોગ નહીં થાય તો તે બંધ થઈ જશે. નવા વર્ષથી ગ્રાહકો આ આઈડી વડે ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં.

MoneyControl Newsઅપડેટેડ Nov 21, 2023 પર 12:36 PM
31 ડિસેમ્બરની પછી નહીં કરી શકો UPI નો ઉપયોગ, ફસાઈ જવા કરતાં તરત કરી લો આ કામ31 ડિસેમ્બરની પછી નહીં કરી શકો UPI નો ઉપયોગ, ફસાઈ જવા કરતાં તરત કરી લો આ કામ
31 ડિસેમ્બરથી ઘણા લોકો પોતાના યૂપીઆઈ ઉપયોગ નહીં કરી શકે.

31 ડિસેમ્બરથી ઘણા લોકો પોતાના યૂપીઆઈ ઉપયોગ નહીં કરી શકે. નેશનલ પેમેંટ્સ કૉરપોરેશન ઑફ ઈંડિયા (NPCI) એ બેંક અને PhonePe અને Google Pay જેવી થર્ડ પાર્ટી એપ્સને યૂપીઆઈ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કે, આ અંગે દરેકે ગભરાવાની જરૂર નથી. એવા યુપીઆઈ ને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે કે જેમાંથી છેલ્લા એક વર્ષમાં કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી. એનપીસીઆઈ એ યુઝર્સને યુપીઆઈ બંધ કરતા પહેલા ઈમેલ અથવા મેસેજ દ્વારા નોટિફિકેશન મોકલવા પણ કહ્યું છે.

એનપીસીઆઈએ ઉમ્મીદ જતાવી છે કે આ પગલાથી યૂપીઆઈ ટ્રાંજેક્શન વધુ સુરક્ષિત બનશે. આ ઉપરાંત અનેક ખોટા વ્યવહારો પણ બંધ થશે. એનપીસીઆઈના નિર્દેશો બાદ હવે તમામ એપ્સ અને બેંકો નિષ્ક્રિય ગ્રાહકોની યુપીઆઈ આઈડી અને તેની સાથે જોડાયેલા મોબાઈલ નંબરની ચકાસણી કરશે. જો 1 વર્ષની અંદર ક્રેડિટ કે ડેબિટ નહીં થાય તો યુપીઆઈ આઈડી બંધ થઈ જશે.

નવા વર્ષથી નહીં થઈ શકે ટ્રાંજેક્શન

જો એક વર્ષથી કોઈપણ રીતનું આ આઈડીનો ઉપયોગ નહીં થાય તો તે બંધ થઈ જશે. નવા વર્ષથી ગ્રાહકો આ આઈડી વડે ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. એવા અહેવાલો છે કે NPCIને ખોટા વ્યવહારોની ઘણી ફરિયાદો મળી છે, જેને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવી રહ્યું છે. તેનું એક મોટું કારણ એ છે કે ઘણી વખત લોકો પોતાનો મોબાઈલ નંબર બદલી નાખે છે અને તેની સાથે જોડાયેલ યુપીઆઈડીને બંધ નથી કરતા. આ નંબર કોઈ બીજાને મળી જાય છે અને યૂપીઆઈજી ત્યાં એક્ટિવેટેડ જ રહે છે. એવામાં તે નંબર પર જો કોઈએ પૈસા મોકલ્યા તો તે વ્યક્તિને મળશે જેની પાસે હવે તે નંબર છે. જો તમને પણ એક વર્ષથી કોઈ યૂપીઆઈ ટ્રાંજેક્શન નહીં કરવામાં આવે તો તુરંત કોઈ ટ્રાજેક્શન કરી લો એટલે કે તમારી યૂપીઆઈ આઈડીથી બચી રહો.

બધા સમાચાર

+ વધુુ વાંચો