Pradhan Mantri Suryoday Yojna: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોલાર પેનલ લગાવવા માટે સૂર્યોદય યોજના (PM Suryoday Yojana) ની જાહેરાત કરી હતી. હવે આ યોજનાને આગળ વધારતા નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટ 2024માં યોજના સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતો વિશે માહિતી આપી છે. નાણામંત્રીનું કહેવું છે કે આ યોજના દ્વારા દેશના 1 કરોડથી વધુ પરિવારો વાર્ષિક 18,000 કરોડ રૂપિયા સુધીની બચત કરી શકશે. આ સાથે લોકોને રોજગારની નવી તકો પણ મળશે.