શરૂઆત બિપરજોય વાવાઝોડાના કારણે થયેલ નુકસાનના સમાચારથી કરીએ તો, બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તો ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે પોરબંદરની પ્રખ્યાત કેરીના અનેક આંબા ધરાશાયી થયા. ખેડૂતોને મોટાપાયે નુકસાન પણ થયું. જ્યારે કચ્છની કેરી અને દાડમની ખેતી કરતા ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે.

