Shri Mahakaleshwar Temple: અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી ત્રણ મેચોની T20I સીરીઝની બીજી મેચ રવિવારે રાત્રે ઈન્દોરમાં રમાઈ હતી. આ મેચમાં જીત નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓએ સોમવારે સવારે ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરની 'ભસ્મ આરતી'માં ભાગ લીધો હતો. જિતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર અને તિલક વર્મા સાથે રવિ બિશ્નોઈએ આ આરતીનો આનંદ માણ્યો હતો અને નંદી હોલમાં બેઠેલા બાબાના દિવ્ય દર્શન કર્યા હતા.