Gyanvapi Case: જ્ઞાનવાપી મુદ્દે કોર્ટેનો મહત્વનો ચૂકાદો આવ્યો છે. જેમાં જિલ્લા કોર્ટે 30 વર્ષ બાદ ફરી હિંદુ પક્ષને પૂજાનો અધિકાર આપ્યો છે. ભોંયરામાં હિંદુ પક્ષને પૂજાનો અધિકાર મળ્યો છે. કોર્ટે તંત્રને આદેશ કર્યો છે કે 7 દિવસમાં આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. કોર્ટના ચૂકાદા બાદથી હિંદુ પક્ષમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે તો મુસ્લિમ પક્ષે ચૂકાદાને ઉપરી અદાલતમાં પડકારવાની વાત કરી છે..