Get App

Gyanvapi Case: જ્ઞાનવાપી કેસ મુદ્દે આવ્યો મહત્વપૂર્ણ ચુકાદો, હવે કરી કરાશે ભગવાન શંકરની પૂજા, જાણો વ્યાસપીઠનો વિવાદ

Gyanvapi Case: મંગળવારના રોજ સુનાવણી બાદ તેનો ચુકાદો સુરક્ષીત રાખવામાં આવ્યો હતો અને આજે કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. જેમાં હવે કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા-અર્ચના કરી શકાશે. વારાણસી કોર્ટના ચૂકાદાને હિંદુ પક્ષકાર એક મોટા જીતની જેમ જોઈ રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2024 પર 10:38 AM
Gyanvapi Case: જ્ઞાનવાપી કેસ મુદ્દે આવ્યો મહત્વપૂર્ણ ચુકાદો, હવે કરી કરાશે ભગવાન શંકરની પૂજા, જાણો વ્યાસપીઠનો વિવાદGyanvapi Case: જ્ઞાનવાપી કેસ મુદ્દે આવ્યો મહત્વપૂર્ણ ચુકાદો, હવે કરી કરાશે ભગવાન શંકરની પૂજા, જાણો વ્યાસપીઠનો વિવાદ
Gyanvapi Case: જ્ઞાનવાપી મુદ્દે કોર્ટેનો મહત્વનો ચૂકાદો આવ્યો છે.

Gyanvapi Case: જ્ઞાનવાપી મુદ્દે કોર્ટેનો મહત્વનો ચૂકાદો આવ્યો છે. જેમાં જિલ્લા કોર્ટે 30 વર્ષ બાદ ફરી હિંદુ પક્ષને પૂજાનો અધિકાર આપ્યો છે. ભોંયરામાં હિંદુ પક્ષને પૂજાનો અધિકાર મળ્યો છે. કોર્ટે તંત્રને આદેશ કર્યો છે કે 7 દિવસમાં આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. કોર્ટના ચૂકાદા બાદથી હિંદુ પક્ષમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે તો મુસ્લિમ પક્ષે ચૂકાદાને ઉપરી અદાલતમાં પડકારવાની વાત કરી છે..

વારાણસી જિલ્લા કોર્ટથી જ્ઞાનવાપી કેસમાં એક મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં હિંદુ પક્ષને જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભોંયરામાં પૂજા 31 વર્ષથી એટલે 1993થી બંધ હતી. કોર્ટે ચૂકાદો આપ્યો છે કે વ્યાસ ભોંયરામાં પૂજા કરી શકશે. જેને લઈને કોર્ટે તંત્રને 7 દિવસમાં વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે.

વારાણસી કોર્ટે આ ચુકાદો ભોંયરામાં પૂજા પાઠના અધિકાર માટે શૈલેન્દ્ર કુમાર પાઠકે કરેલી અરજી પણ સંભળાવ્યો છે.

મંગળવારના રોજ સુનાવણી બાદ તેનો ચુકાદો સુરક્ષીત રાખવામાં આવ્યો હતો અને આજે કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. જેમાં હવે કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા-અર્ચના કરી શકાશે. વારાણસી કોર્ટના ચૂકાદાને હિંદુ પક્ષકાર એક મોટા જીતની જેમ જોઈ રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો