Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની વિધિ શરૂ થઈ ગઇ છે. પ્રથમ યજમાન તરીકે ડો.અનિલ મિશ્રા અને તેમના પત્ની ઉષા મિશ્રા જોડાઈ રહ્યા છે. જેઓ 22 જાન્યુઆરી સુધી લગભગ 50 વૈદિક પ્રક્રિયાઓમાં ભાગ લેશે. યજમાનના સ્નાનથી ધાર્મિક વિધિની શરૂઆત થશે. યજમાન 10 પ્રકારના સ્નાન કરશે.