Get App

Farmers Protest: સરકારના પ્રસ્તાવ પર કોઈ સમજૂતી નહીં, 21 ફેબ્રુઆરીથી દિલ્હી ચલો આંદોલનની શરૂઆત

ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે સરકારના ઈરાદામાં ખામી છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર 23 પાક પર એમએસપી એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્યનો ફૉર્મૂલા નક્કી કરે. સરકારના પ્રસ્તાવથી ખેડૂતોને કોઈ ફાયદો નથી થવાનો.

MoneyControl Newsઅપડેટેડ Feb 20, 2024 પર 11:14 AM
Farmers Protest: સરકારના પ્રસ્તાવ પર કોઈ સમજૂતી નહીં, 21 ફેબ્રુઆરીથી દિલ્હી ચલો આંદોલનની શરૂઆતFarmers Protest: સરકારના પ્રસ્તાવ પર કોઈ સમજૂતી નહીં, 21 ફેબ્રુઆરીથી દિલ્હી ચલો આંદોલનની શરૂઆત

પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. આ દરમિયાન સોમવારે શંભુ બૉર્ડર પર ખેડૂત નેતાઓની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને અસ્વીકાર કર્યો છે. ખેડૂતોએ 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે.

ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે સરકારના ઈરાદામાં ખામી છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર 23 પાક પર એમએસપી એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્યનો ફૉર્મૂલા નક્કી કરે. સરકારના પ્રસ્તાવથી ખેડૂતોને કોઈ ફાયદો નથી થવાનો.

દલ્લેવાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવમાં કોઈ સ્પષ્ટતા નથી. સરકારે જે પ્રસ્તાવ આપ્યા છે, તેનું નાપ-તોલ કરે તો તેમાં કઈ પણ નથી દેખાતું. અમારી સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાનો તાડનું તેલ (Palm Oil) બાહરથી ખરીદ્યા છે પરંતુ આટલી ધનરાશિ ખેતીના માટે નક્કી કરે તો ખેડૂતોને ઘણો ફાયદો થયો હોત.

ખેડૂત આગેવાનોએ શું કહ્યું

બધા સમાચાર

+ વધુુ વાંચો