Ram Temple Ayodhya: અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થવાને કારણે એરલાઈન્સ કંપનીઓએ અયોધ્યા માટે ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કર્યો છે. 1 ફેબ્રુઆરીથી અયોધ્યા માટે દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, પટના, દરભંગા, મુંબઈ અને બેંગલુરુથી વધારાની ફ્લાઈટ દોડશે. દિલ્હીથી અયોધ્યા અને અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ઉડશે. અયોધ્યાથી મુંબઈ માટે દરરોજ ફ્લાઈટ્સ ઉડશે.