Ram Mandir: અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે. સોમવારે હજારો લોકોની ભીડ અયોધ્યા પહોંચી હતી અને ભક્તિમય વાતાવરણમાં લીન રહી હતી. દરેક વ્યક્તિ ઈતિહાસની આ મોટી ઘટનાને પોતાની આંખોથી જોવા ઈચ્છતો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે એક વીડિયો શેર કર્યો છે, જેમાં અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને વિગતવાર બતાવવામાં આવ્યો છે.