Get App

Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ પત્રિકા સાથે કેમ અપાય છે પીળા ચોખા, શું છે તેનું ધાર્મિક મહત્વ?

Ram Mandir: રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ અવસર, પીળા અક્ષતનો ઉપયોગ શા માટે? રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 15, 2024 પર 6:07 PM
Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ પત્રિકા સાથે કેમ અપાય છે પીળા ચોખા, શું છે તેનું ધાર્મિક મહત્વ?Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ પત્રિકા સાથે કેમ અપાય છે પીળા ચોખા, શું છે તેનું ધાર્મિક મહત્વ?
Ram Mandir: પીળા ચોખાનું ધાર્મિક રીતે ખુબ જ મહત્વ હોય છે.

Ram Mandir: 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે રામ મહોત્સવમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે રામભક્તોના સમૂહ ઘરે-ઘરે પહોંચી રહ્યા છે. દરેકને પીળા ચોખા સાથે આમંત્રણ પત્ર આપવામાં આવી રહ્યું છે જેથી દરેક વ્યક્તિ આ શુભ દિવસનો ભાગ બની શકે.

દેશભરમાં વિવિધ સ્થળોએ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં હજારો રામ ભક્તો જોડાઈ રહ્યા છે પીળા ચોખાનું ધાર્મિક મહત્વ? ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચોખાનો ઉપયોગ કોઈપણ ધાર્મિક વિધિમાં ચોક્કસપણે થાય છે. હિંદુ ધર્મમાં જ્યારે ધાર્મિક કાર્યો દરમિયાન તિલક લગાવવામાં આવે છે ત્યારે તેમાં ચોખા પણ લગાવવામાં આવે છે. એવું કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી-દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય છે. તેથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રણ પત્રની સાથે પીળા ચોખા પણ આપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો-Women Health: 50 વર્ષની ઉંમરે સ્વસ્થ રહેવા માંગો છો? દરરોજ આ એક વસ્તુનું સેવન કરી દો શરૂ

એવું માનવામાં આવે છે કે પીળા ચોખા કોઈપણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા લાવે છે. તેથી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર પણ અક્ષત એટલે કે પીળા ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો