બેન્ક ઑફ ઈન્ડિયા (Bank of india)એ તેના સેવિંગ અકાઉન્ટને અપગ્રેડ કર્યા છે. બેન્ક ઑફ ઈન્ડિયાના સેવિંગ અકાઉન્ટમાં કર્યા આ તાજા ફેરબદલમાં કામ કરતા વ્યક્તિ, પરિવાર, એકલા વ્યક્તિ અને વિદ્યાર્થી તમામને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. આ તક પર બેન્ક ઑફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રજનીશ કર્ણાટકએ જણાવ્યું હતું કે બેન્ક આ નવા અપગ્રેડ કરાયેલા સેવિંગ અકાઉન્ટની સાથે તેની બચત ગ્રાહક આધારને વધારવા માટે તૈયાર છે. તેને ઘણી સારી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. એવામાં તમારા માટે પણ આ જાણી લેવું જરૂરી છે કે આ તાજી ફેરબદલ બાદ તમને શું શું ફાયદા મળશે.

