Get App

મની મૅનેજર: નવા વર્ષમાં ક્યા બની રહી છે રોકાણની તક

આગળ જાણકારી લઈશું Credence Wealth Advisorsના ફાઉન્ડર અને સીઈઓ, કિર્તન શાહ, રૂપી વિથ ઋષભના ફાઉન્ડર, ઋષભ દેસાઇ અને નિમિત કન્સલટન્સીના ફાઉન્ડર અને સીએ, નિતેશ બુધ્ધદેવ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Nov 09, 2023 પર 6:53 PM
મની મૅનેજર: નવા વર્ષમાં ક્યા બની રહી છે રોકાણની તકમની મૅનેજર: નવા વર્ષમાં ક્યા બની રહી છે રોકાણની તક

મની મૅનેજરના દીપોત્સવ સ્પેશલ એપિસોડમાં આપનુ ફરી એક વખત સ્વાગત કરૂ છુ અને આવનારૂ નવુ વર્ષ આપના જીવનમાં આર્થિક સમૃધ્ધી લાવનારૂ રહે. આ શુભકામના ફળીભૂત થાય તે માટે પ્રયત્નોમાં મની મેનેજરનો સાથ તો આપને મળતો જ રહેશે અને આજે આપણે આપણા ખાસ મહેમાનો ને આમત્રિત કર્યા છે.

જેમની પાસે આપણે જાણીશુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની રણનિતી કેવી હોવી જોઇએ, ગયા વર્ષમાં કયા ફંડનુ કેવુ પરફોર્મન્સ રહ્યું અને આવનારા વર્ષમાં ક્યા ફંડ પાસેથી છે સારા પરફોર્મન્સની અપેક્ષા. આગળ જાણકારી લઈશું Credence Wealth Advisorsના ફાઉન્ડર અને સીઈઓ, કિર્તન શાહ, રૂપી વિથ ઋષભના ફાઉન્ડર, ઋષભ દેસાઇ અને નિમિત કન્સલટન્સીના ફાઉન્ડર અને સીએ, નિતેશ બુધ્ધદેવ પાસેથી.

ક્રેડન્સ વેલ્થ એડવાઈઝર્સના ફાઉન્ડર અને સીઈઓ, કિર્તન શાહના મતે -

તાયવાન અને નાસ્ડેક થીમ ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાલી છે. સરકારી સાથે જોડાયેલી થીમ ભારતમાં સારી ચાલી છે. મિડકેપ અને સ્મોલકેપે લાર્જકેપની સામે ઘણો સારો થયો છે. વેલ્યુ ઇન્વેસ્ટીંગ થીમ પાછલા વર્ષમાં ચાલી છે. હાલના સમયમાં ગ્લોબલ પ્રોબ્લેમ ઘણા છે. રિટેલ રોકાણકારે લાંબાગાળાના રોકાણ કરવા જોઇએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો