PM Kisan Yojana: દેશના મોટાભાગના ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી નથી. ઘણા ખેડૂતો એવા છે જેમને પાકના નુકસાનનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક મદદ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આવી જ એક યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન યોજના). અત્યાર સુધી આ યોજના દ્વારા ખેડૂતોને 14 હપ્તામાં લાભ મળ્યો છે. દેશના કરોડો ખેડૂતો 15મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે 15મા હપ્તામાં બેનિફિશિયરી ખેડૂતોની સંખ્યામાં મોટો ઘટાડો થઈ શકે છે.

